કુમકુમ મંદિર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૭૫માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી.

By: nationgujarat
17 Sep, 2025

શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કે, વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુ આપે જેથી તેઓ દેશની વધુ સેવા કરી શકે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિન નિમિત્તે કુમકુમ મંદિરના સંતો હરિભક્તો વતી શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ તેમને શુભેચ્છા પત્ર પાઠવ્યો હતો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ શુભેચ્છા પત્રમાં જણાવ્યું હતું કે, ભારત દેશનો વિશ્વમાં સર્વાંગી વિકાસ થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘાયુ અને સ્વસ્થ આયુષ્ય આપે.. તે માટે અમો પ્રાર્થના કરીએ છીએ.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત દેશે અનેક ક્ષેત્રમાં નોંધનીય પ્રગતિ કરેલ છે તે સર્વે નાગરિક માટે આનંદની વાત છે.


Related Posts

Load more