અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ, ત્રીજી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ આવવાના હતા

By: Nation Gujarat Team
02 Sep, 2026
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. અમિત શાહ આવતીકાલથી એટલે ત્રીજી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવવાના હતા. નોંધનીય છે કે, પીએમ મોદી 8મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત પધારવાના છે. પીએમ મોદી વડોદરા અને નવસારી ખાતે કરોડો રૂપિયાના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
અમિત શાહ નહીં આવે ગુજરાત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુરૂવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવવાના હતા. આ પ્રવાસમાં તેઓ રેલવે અને રમતગમત ઉપરાંત અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના હતા. જોકે, હાલ મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરવામા આવ્યો છે.
પીએમ મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા અને નવસારી ખાતે કરોડો રૂપિયાના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા અને વુડાના કુલ 7 કામો સહિત રેલવે અને નેશનલ હાઈવે ઓથોરિટીના વિવિધ પ્રકલ્પો જનતાને સમર્પિત કરાશે. આ મુલાકાતને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹90.16 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 3 વિકાસકામોનું લોકાર્પણ થશે, જેમાં ગોલ્ડન, આજવા અને વાઘોડિયા જંક્શન પર વરસાદી ગટર (₹30.28 કરોડ), ભાયલીમાં પાણીની ટાંકી અને નેટવર્ક (₹32.61 કરોડ) તથા આજવા સરોવર ખાતે પોન્ટુન સુવિધા (₹27.07 કરોડ) સામેલ છે. આ ઉપરાંત ₹32.93 કરોડના ખર્ચે બનનારી પાલિકાની નવી કચેરીના કામનું ખાતમુહૂર્ત પણ કરાશે. વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) અંતર્ગત ₹227.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ખાનપુર-સેવાસી EWS આવાસો અને 11 ગામોની નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરાના આંતરમાળખાકીય વિકાસને વેગ આપવા માટે ₹523.59 કરોડના ખર્ચે આકાર પામનારા 75 મીટર રિંગ રોડના ફેઝ-2નું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે થશે

Related Posts

Load more