વૈજ્ઞાનિકો માને છે કે, બ્રેકઅપની અસર હૃદય સાથે મગજને પણ થતી હોય છે !

By: nationgujarat
19 May, 2025

વોશિંગ્ટન,તા.19
‘પ્રેમમાં હાર્ટબ્રેક’ હવે માત્ર ભાવનાત્મક બાબત રહી નથી, પરંતુ મેડિકલ સાયન્સ પણ તેને ગંભીર માની રહ્યું છે. એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, જ્યારે પ્રેમમાં કોઇની સાથે છેતરપિંડી થાય છે, ત્યારે તેની અસર માત્ર મગજ પર જ નહીં પરંતુ હૃદયના ધબકારા પર પણ પડે છે.

નવાઈની વાત તો એ છે કે, તેની સૌથી ઘાતક અસર પુરુષો પર પડે છે. જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, પુરુષોનું મૃત્યુ તૂટેલા દિલથી થવાનું જોખમ મહિલાઓની તુલનામાં લગભગ બમણું વધારે હોય છે.

ખરેખર, સામાન્ય ભાષામાં જેને ’હાર્ટબ્રેક’ કહેવામાં આવે છે તે હાર્ટ બ્રોકન સિન્ડ્રોમ છે. આને તબીબી ભાષામાં ’ટાકોત્સુબો કાર્ડિયોમાયોપથી’ કહેવામાં આવે છે. તે હૃદયની લાગણી છે જે અતિશય ભાવનાત્મક અથવા શારીરિક તાણને કારણે થાય છે.

આમાં એડ્રેનાલિન જેવા હોર્મોન્સ એટલી વધુ માત્રામાં બહાર આવે છે કે હૃદયના સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. આનું કારણ સંપૂર્ણપણે ભાવનાત્મક અથવા માનસિક છે, જેમ કે કોઈ પ્રિયજનનું મૃત્યુ, પ્રેમમાં દગો અથવા અલગ થવું અને કોઈ મોટો

આંચકો. આ તારણો 2016 થી 2020 ની વચ્ચે આવા 1,958 દર્દીઓના આરોગ્ય ડેટાના વિશ્લેષણ પર આધારિત છે. અમેરિકાની અગ્રણી મેડિકલ સંસ્થા જ્હોન હોપક્નિસ મેડિસિનના કાર્ડિયોલોજિસ્ટ ડો.ઇલેન વિટસ્ટેઇનના જણાવ્યાં અનુસાર, મહિલાઓમાં ભાવનાત્મક તણાવ, પુરુષોમાં શારીરિક તણાવને કારણે આ સિન્ડ્રોમ વધુ સક્રિય છે.

જ્યારે પુરુષોમાં આવું થાય છે, ત્યારે તે વધુ ગંભીર અને ખતરનાક સ્વરૂપમાં બહાર આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, પુરુષો મૃત્યુ પણ પામી શકે છે.

આ લક્ષણો હોઈ શકે 
:- છાતીમાં અચાનક તીવ્ર દુ:ખાવો થવો
:- શ્વાસ લેવામાં તકલીફ
:- હૃદયના અનિયમિત ધબકારા
:- થાક અથવા બેભાન થઈ ગયાની લાગણી અનુભવવી

બચવાના ઉપાયો 
તણાવને નિયંત્રિત કરો :- યોગ, ધ્યાન અથવા ઉપચાર મદદરૂપ થઈ શકે છે.
દરરોજ રાત્રે 7 થી 9 કલાકની ઊંઘ લો :- ઊંઘના અભાવે હૃદયની તંદુરસ્તી પણ બગડે છે.
નિયમિત કસરત :- તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે.
લાગણીને ન દબાવો :- પીડાને વહેંચવી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને એવા પુરુષો કે જેઓ ઘણીવાર તેમની લાગણીઓને છુપાવે છે.


Related Posts

Load more