અખરોટ એક નાનું ડ્રાય ફ્રુટ છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાતો જણાવે છે કે અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ, ફાઇબર હોય છે. (Image Source | iStock)
નિષ્ણાતોના મતે, દરરોજ ફક્ત થોડા અખરોટ ખાવાથી તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર ફરક પડી શકે છે, ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. અખરોટમાં ઓમેગા-3 હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. આ હૃદયના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.
અખરોટને મગજને મજબૂત બનાવતા ખોરાક તરીકે પણ ઓળખવામાં આવે છે. દરરોજ 3થી 4 અખરોટ ખાવાથી મગજ તેજ થાય છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે અને મગજના વિકાસમાં મદદ મળે છે
પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાને કારણે અખરોટ સ્નાયુઓના સ્વાસ્થ્ય અને પાચન માટે પણ ઉપયોગી છે. તેમાં રહેલું ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરી શકે છે. જેના કારણે વધુ પડતું ખાવાથી બચવામાં મદદ મળી શકે છે.
અખરોટમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન E અને વિટામિન B જેવા પોષક તત્વો પણ હોય છે. આ તમામ પોષક તત્વો સમગ્ર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. તેથી સામાન્ય રીતે દરરોજ આશરે 3થી 4 અખરોટ ડાયટમાં સામેલ કરી શકાય છે
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી