કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિતભાઈ શાહે રાજસ્થાનના ચિત્તોડગઢમાં આયોજિત એક સભામાં કોંગ્રેસ (Congress) અને સોનિયા ગાંધી (Sonia Gandhi) પર ગંભીર આરોપો લગાવ્યા છે. શાહે દાવો કર્યો છે કે, માત્ર વોટ બેંકની રાજનીતિ (Vote Bank Politics) ને સાચવવા માટે કોંગ્રેસે દેશના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ (National Song ‘Vande Mataram’) નું ઘોર અપમાન કર્યું છે.
અમિતભાઈ શાહે ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય મુખ્યાલયમાં (Party Headquarters) એક કાર્યક્રમ દરમિયાન જ્યારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ગાવામાં આવી રહ્યું હતું, ત્યારે સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાષ્ટ્રગીતને અધવચ્ચે રોકવા કહ્યું હતું. ગૃહમંત્રીએ રોષ ઠાલવતા કહ્યું કે, કોઈ રાષ્ટ્રગીતને અધૂરું છોડવાનું સપનામાં પણ કેવી રીતે વિચારી શકે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉમેર્યું કે લગભગ 80 વર્ષ પછી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આ અમર ગીતને દેશમાં ફરીથી સન્માન મળી રહ્યું છે, પરંતુ સોનિયા ગાંધીને આ વાત પસંદ નથી આવી. દેશની 140 કરોડ જનતા આ જોઈ રહી છે. તેમણે માંગ કરી કે કોંગ્રેસે પોતાની આ શરમજનક (Shameful) હરકત બદલ દેશની જનતા અને બંકિમ બાબુની બંને હાથ જોડીને માફી (Apology) માંગવી જોઈએ.
આ રાજકીય વિવાદ (Political Controversy) વધતા કોંગ્રેસે પોતાનો બચાવ કરતા સ્પષ્ટતા કરી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી ગીત રોકી રહ્યા ન હતા, પરંતુ તેઓ માત્ર પાર્ટી અધ્યક્ષ ખડગેના બેસવા માટે ખુરશી (Chair) ની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા હતા.
આ મુદ્દે ભાજપના અન્ય નેતાઓએ પણ કોંગ્રેસને ઘેરી છે. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ સંકલ્પ (Determination) અને કરોડો ભારતીયોની ભાવનાઓને કારણે આ પહેલો એવો સ્વતંત્રતા દિવસ (Independence Day) છે જ્યારે ‘વંદે માતરમ્’ સંપૂર્ણ રીતે ગવાયું છે. આ ઉપરાંત, BJP IT સેલના વડા (IT Cell Head) અમિત માલવિયાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X પર પોસ્ટ કરી હતી.
તેમણે દાવો કર્યો કે ગીતની શરૂઆતની પંક્તિઓ પૂર્ણ થયા બાદ સોનિયા ગાંધી અસ્વસ્થ (Upset) દેખાયા હતા અને તેમણે ગીતને પૂરું વગાડવાને બદલે રોકવા માટે કહ્યું હતું. આ સાથે રાહુલ ગાંધીએ પણ ગીતને જલ્દી ખતમ કરવા માટે ઈશારો (Signaled) કર્યો હતો.