ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની મસ્જિદમાં થયો જોરદાર વિસ્ફોટ, 54થી વધુ લોકો થયા ગંભીર ઇજાગ્રસ્ત

By: Krunal Bhavsar
07 Nov, 2025

ઇન્ડોનેશિયા : રાજધાની જકાર્તામાં એક શાળા સંકુલની અંદર આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન એક શક્તિશાળી વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઉત્તર જકાર્તાના કેલાપા ગેડિંગ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘાયલોમાં વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓ સહિત અન્ય લોકોનો સમાવેશ થાય છે. તેમને નાની-મોટી ઈજાઓ, કાચના ટુકડાથી થયેલા ઘાવ અને દાઝી જવાથી ઘાયલ થયા છે.

ઇન્ડોનેશિયા મસ્જિદ માં વિસ્ફોટ :  વિસ્ફોટ મામલે પોલીસ વડાએ આપ્યું નિવેદન

શહેરના પોલીસ વડા એસેપ એડી સુહેરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિસ્ફોટ બપોરના સુમારે થયો હતો. તેમણે પુષ્ટિ કરી કે 54 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે, જોકે ઘટનાસ્થળની પ્રારંભિક તસવીરોમાં મસ્જિદના માળખાને કોઈ મોટું નુકસાન થયું હોવાનું જણાતું નથી. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરીને ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

Indonesia mosque blast:  ઇન્ડોનેશિયાની એન્ટિ-ટેરર ​​સ્ક્વોડ કરી રહી છે તપાસ

વિસ્ફોટની ગંભીરતાને જોતા, ઇન્ડોનેશિયાની એન્ટિ-ટેરર ​​સ્ક્વોડ, ડિટેચમેન્ટ 88 (Detachment 88) ને પણ તપાસમાં જોડવામાં આવી છે. આ ટુકડી એ હકીકતની તપાસ કરી રહી છે કે શું આ ઘટના પાછળ કોઈ આતંકવાદી કાવતરું કે ઇરાદાપૂર્વકના વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ સામેલ છે. પોલીસ અધિકારી સુહેરીએ હાલમાં આ ઘટનાને આતંકવાદ સાથે જોડતા કોઈ પુરાવા મળ્યા હોવાનો ઈનકાર કર્યો છે, પરંતુ સંપૂર્ણ તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને અધિકારીઓ તમામ પાસાઓની ગહન તપાસ કરી રહ્યા છે, જેથી આ શક્તિશાળી ધડાકા પાછળનું સાચું કારણ બહાર લાવી શકાય.

Dozens injured after explosion at Jakarta mosque, police investigating cause of blast


Related Posts

Load more