રિષભ પંત ન્યૂઝ : ભારતીય વિકેટકીપર અને બેટર રિષભ પંતે પોતાની પગની ઇજા અંગે લેટેસ્ટ માહિતી રૂપી અપડેટ આપી છે. માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં આ ઈજા થતાં તે મેચમાંથી બહાર થઇ ગયો હતો . હાલમાં તેણે સોશિયલ મીડિયામાં પોતાના પગે પટ્ટો બાંધેલી તસવીર શેર કરીને લખ્યું છે કે, ‘How many more days in this?’ એટલે ‘હવે આ રીતે કેટલા દિવસ વિતાવવા પડશે ખબર નહીં.’ !
રિષભ પંતે થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર અન્ય એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે પોતાના પ્લાસ્ટર વાળા(લગાવેલ) પગનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેને આવી પરિસ્થિતિ જરાય પસંદ નથી. એક વીડિયોમાં તેણે પોતાના પગમાંથી પ્લાસ્ટર કાઢી નાખતો બતાવ્યો હતો, પરંતુ બે આંગળીઓ પર પાટો બાંધેલો હતો. તે સ્વસ્થ થતી વખતે જીવનનો આનંદ માણતો પણ જોવા મળ્યો હતો, કારણ કે તે પોતે પીઝા બનાવતો પણ જોવા મળ્યો હતો.
રિષભ પંતની વાપસીની તારીખ અંગે હજુ સુધી કોઈ માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ થોડા અઠવાડિયા પહેલા એક અહેવાલ નીકળી ને બહાર આવ્યો હતો કે પંતને આ ઈજામાંથી સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા 6 અઠવાડિયા તો લાગી શકે છે.
