ટેલેન્ટેડ અભિનેત્રી નું રોડ અકસ્માત માં કમ કમાટી ભર્યું મોત , અભિનેતા આશુતોષ રાણા સાથે કર્યું હતું કામ

By: Krunal Bhavsar
20 Nov, 2025

અભિનેત્રી અદિતિ મુખરજી નું નિધન : ફિલ્મ ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં પ્રતિભાશાળી થિયેટર અભિનેત્રી અદિતિ મુખર્જીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હોવાની માહિતી મળી રહી છે. આ દુ:ખદ ઘટનાએ તેમના પરિવાર અને થિયેટર સમુદાય બંનેને આઘાત પહોંચાડ્યો છે. અદિતિ પ્રખ્યાત અભિનેતા આશુતોષ રાણા સાથે એક થિયેટર નાટક પર કામ કરી રહી હતી.

કેવી રીતે થયો અકસ્માત ?

અદિતિ નોઈડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં એક થિયેટર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહી હતી. તે પોતાના ઘરેથી કેબમાં નીકળી હતી, પરંતુ રસ્તામાં જ તેની કેબને એક ઝડપી વાહને ટક્કર મારી દીધી હતી આ ટક્કર એટલી ભયંકર હતી કે અદિતિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને તેને તાત્કાલિક ગ્રેટર નોઈડાની શારદા હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, તેને બચાવી શકાઈ નહીં અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.

ફિલ્મ ઉદ્યોગમાં શોક ની લહેર : અદિતિના મૃત્યુના સમાચાર થિયેટર ગ્રુપ સુધી પહોંચતા જ બધા કલાકારો શોકમાં ડૂબી ગયા છે. ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં એક થિયેટર કાર્યક્રમ દરમિયાન અદિતિને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રંગભૂમિ સાથે સંકળાયેલા લોકો તેમને એક મહેનતુ અને આશાસ્પદ અભિનેત્રી તરીકે યાદ કરી રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગ માં છવાઈ શોક ની લહેર.

અદિતિ મુખર્જી કોણ હતી?

અદિતિ તેના ભાઈ અરિંદમ મુખર્જી સાથે દિલ્હીના મહિપાલપુરમાં રહેતી હતી. તેનું ઘર ઓડિશામાં છે. તે અસ્મિતા થિયેટર ગ્રુપની ભૂતપૂર્વ વિદ્યાર્થી હતી અને 2022 બેચમાં અભિનયનો અભ્યાસ કરતી હતી. અદિતિને એક પ્રતિભાશાળી અને મહેનતુ વિદ્યાર્થી માનવામાં આવતી હતી.અસ્મિતા થિયેટર ગ્રુપના ડિરેક્ટર અરવિંદ ગૌરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમના મૃત્યુની પુષ્ટિ કરી અને શોક વ્યક્ત કર્યો છે.

આશુતોષ રાણા સાથે કરતી હતી કામ

જાણકારી મુજબ અદિતિ હાલમાં અભિનેતા આશુતોષ રાણા અને રાહુલ ભુચર સાથે લોકપ્રિય નાટક “હમારે રામ” માં અભિનય કરી રહી હતી. અકસ્માતમાં તેણીને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના પરિણામે તેણીનું મૃત્યુ થયું હતું. અદિતિના માતા-પિતા પણ ઓડિશાથી દિલ્હી આવી પહોંચ્યા છે. તેણીના નિધનને રંગભૂમિ જગત માટે મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.


Related Posts

Load more