‘કંગના રનૌત જે થાળીમા જમે છે તેમા જ છેદ કરે છે કોણે કહી આ વાત જેનાથી મચી છે બબાલ

By: nationgujarat
06 Jun, 2025

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત કોઇને કોઇ વિવાદમાં આવતા હોય છે આજ ફરી એક વિવાદ તેમની સાથે જોડાયો છે. હમ સાથ સાથ હૈં અને કોહરા સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કુનિકા સદાનંદે તાજેતરમાં કંગના રનૌત વિશે એવા નિવેદનો આપ્યા છે કે માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ જશે. કુનિકા કહે છે કે કંગના જે થાળીમા જમે તેમા જ છેદ કરે છે. એટલું જ નહીં, તેણે અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે કંગનાના કામ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

જ્યારે કુન્નિકાને પૂછવામાં આવ્યું કે ઇન્ડસ્ટ્રીના લોકો કંગનાને કેમ પસંદ નથી કરતા, ત્યારે અભિનેત્રીએ કહ્યું, ‘તેનો સ્વભાવ જુઓ. શું તેના મોંમાંથી કોઈ મીઠી વાત નીકળે છે? જ્યારે પણ તમે તેને જુઓ છો, ત્યારે તે બકવાસ કરે છે. તે હંમેશા નકારાત્મક રહી છે. તે જે થાળીમા જમે છે તેમા જ છેદ કરે છે. ઇન્ડસ્ટ્રીએ તેને મોટી કરી છે અને અભિનેત્રી બનાવી છે.કંગના કોઇના પણ વિશે સમજ્યા વિચાર્ય વગર જ નિવેદન આપી દે છે.

કુનિકાએ આગળ કહ્યું, ‘કંગના એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા પણ બનવા માંગે છે, કેમ? દરેકનું પોતાનું કામ હોય છે તેથી દરેકને પોતાનું કામ કરવા દો. મને ખબર નથી કે તેણીને તેની ફિલ્મો માટે ભંડોળ ક્યાંથી મળે છે અને દરેક ફિલ્મ ફ્લોપ થાય છે. મારો મતલબ છે કે હું ઇચ્છું છું કે તેની ફિલ્મો સફળ થાય કારણ કે મને તે એક અભિનેતા તરીકે ગમે છે. તમને મણિકર્ણિકા માટે ભંડોળ મળે છે પછી તમે દિગ્દર્શકને નોકરી પર રાખો છો અને પછી તેમની ભૂમિકાઓ કાપી નાખો છો કારણ કે તમે અસુરક્ષિત છો.’

કંગનાની છેલ્લી ફિલ્મ ઇમરજન્સીમાં જોવા મળી હતી આ મુવી ઇન્દિરા ગાંઘી પર બની હતી જેને કંગનાએ ડાયરેકટ કરી હતી. મુવીમાં કંગના સહિત અનુપમ ખેર,સતિશ કૌશિક,શ્રેયસ તલપડે પણ છે. હવે કંગના હોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે કંગના એક હોરર મુવીમા કામ કરશે.


Related Posts

Load more