આટલું જ નહીં, સામાજિક પ્રસંગોમાં વ્યસન પર પ્રતિબંધ મુકાયો છે તેમજ અફીણ અને બીડી પર પણ પ્રતિબંધ મુકાયો છે, ઉપરાંત મામેરા પ્રસંગે દીકરી તરફથી ઓઢામણા ઓઢવા પર પણ પ્રતિબંધ, સગાઈ પ્રસંગે 21 લોકોએ જવું અને લગ્નનું મુહૂર્ત જોવડાવવા માત્ર 5 લોકોએ જવું, એ પ્રકારના શુભપ્રસંગના નિયમો બનાવાયા છે. જ્યારે મરણ પ્રસંગે ખીચડી અને કઢી બનાવવી અને જો ઉંમર વધુ હોય તો બારમાં દિવસે ખીરો બનાવવો તથા મરણપ્રસંગના પોણા મહિના પછી પરિવારે શોક રાખવો નહીં અને માંદગીમાં બોલાવવાના પ્રથા બંધ કરવી તથા મરણ વખતે ઘરના લોકોએ જ કફન લાવવું અન્ય લોકોએ લાવવું નહીં, એવા નિયમો ઘડાયા છે અને જો કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરે તો તેની સામે રૂ. 2,51,000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે. આ દંડની રકમ સમાજમાં શિક્ષણના કાર્યોમાં વાપરવાનો ઠરાવ પસાર કરાયો છે.