આજે કૃષ્ણ જન્માષ્ટમી, 7 સપ્ટેમ્બર ગુરૂવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

By: nationgujarat
07 Sep, 2023

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 7 સપ્ટેમ્બર, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

 

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમ(કૃષ્ણ જન્માષ્ટમી) 04:14 PM સુધી બાદમાં નોમ

વાર:- ગુરૂવાર

યોગ:- વજ્ર 10:02 pM સુધી, બાદમાં સિદ્ધિ

કરણ:- કૌલવ 04:14 pM સુધી બાદમાં તૌતિલ 03:50 AM સપ્ટેમ્બર 08 સુધી બાદમાં ગર

નક્ષત્ર:- રોહિણી 10:25 AM સુધી બાદમાં મૃગશીર્ષ

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:17 AM

સૂર્યાસ્ત:- 06:42 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ વૃષભ રાશિ 11:13 PM બાદમાં મિથુન

અભિજીત મુહૂર્ત

આજ રોજ અભિજીત મુહૂર્ત 12:04 PMથી 12:54 PM સુધી

રાહુ કાળ

આજ રોજનો રાહુ કાળ 02:02 AM થી 03:35 PM સુધી રહેશે.હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)


Related Posts

Load more