આજે (10 સપ્ટેમ્બર) અજા અને જયા એકાદશી ,આ શુભ કાર્યો કરવાથી થશે લાભ

By: nationgujarat
09 Sep, 2023

 10 સપ્ટેમ્બરે શ્રાવણ માસની એકાદશી છે. જેને અજા અને જયા એકાદશી કહે છે. એકાદશી રવિવારના દિવસે હોવાથી જો તમે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સૂર્યની પૂજા કરો છો તો કુંડળીમાં ગ્રહ દોષની અસર ઓછી થઈ શકે છે. આ વ્રત દરમિયાન દાન પણ કરવું જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, ભગવાન વિષ્ણુ માટે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. જયા એકાદશીનું વ્રત કરવાથી શત્રુઓ પર વિજય મળે છે અને સમસ્યાઓ સામે લડવાની હિંમત પણ વધે છે.

આ રીતે એકાદશીનું વ્રત કરી શકો છો
જે લોકો આ વ્રત રાખવા માગતા હોય તેમણે એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી જવું જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યોદય સમયે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પૂજા દરમિયાન એકાદશીનું વ્રત રાખવાનો સંકલ્પ લો.

સંકલ્પ લીધા પછી આખો દિવસ ઉપવાસ કરો. જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળો અને ફળોના રસનું સેવન કરી શકો છો. સાંજે વિષ્ણુની પૂજા કરો. ભગવાનની વાર્તાઓ વાંચો અને સાંભળો. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે સવારે વહેલા ઊઠીને ફરી વિષ્ણુની પૂજા કરો. પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન જમાડો અને પછી તમે જમો.

આ રીતે કરો વિષ્ણુ પૂજા
મહાલક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. વિષ્ણુ-લક્ષ્મીની મૂર્તિને પંચામૃત અર્પણ કરો. દક્ષિણાવર્તી શંખમાં પાણી અને દૂધ ભરીને અભિષેક કરો. દેવી-દેવતાઓને લાલ-પીળા તેજસ્વી વસ્ત્રો અને પૂજા સામગ્રી અર્પણ કરો. હાર અને ફૂલોથી સજાવો. તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. પૂજાના અંતે તમારાથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માગો.

રવિવાર અને એકાદશીના દિવસે પણ સૂર્યની પૂજા કરો. તાંબાના વાસણમાં પાણી ભરો, પાણીમાં લાલ ફૂલ અને ચોખા નાખો પછી સૂર્યને અર્ઘ્ય ચઢાવો. તેમજ સૂર્યની મૂર્તિની પૂજા કરો. આ દિવસે ગોળનું દાન કરો.

એકાદશી પર તમે આ શુભ કાર્યો કરી શકો છો
એકાદશી પર જરૂરિયાતમંદ લોકોને પૈસા, અનાજ, પગરખાં, અન્ન, કપડાંનું દાન કરો. ગાયોની સંભાળ રાખવા માટે ગૌશાળામાં પૈસાનું દાન અને લીલું ઘાસ ગાયને ખવડાવો.

ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ અભિષેક કરો. બાળ ગોપાલને તુલસી સાથે માખણ અને મિસરી અર્પણ કરો.

શિવલિંગ પર જળ, દૂધ અને પછી જળ ચઢાવો. બિલ્વના પાન, હાર અને ફૂલોથી શૃંગાર કરો. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. જનોઈ, અબીર, ગુલાલ વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો. મીઠાઈઓ અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો.

હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો.


Related Posts

Load more