બ્રેકીંગ ન્યુઝ : મલેશિયાના તટ નજીક 300 મુસાફરો સાથે ની બોટ ની દરિયા માં જળસમાધી , 10 નો બચાવ, સેંકડો થયા લાપતા

By: Krunal Bhavsar
09 Nov, 2025

Vessel Carrying Myanmar Migrants Capsize : થાઇલેન્ડ અને મલેશિયાની સરહદ નજીક હિંદ મહાસાગરમાં મ્યાનમારના આશરે 300 લોકોને સ્થળાંતર લઈ જતી એક બોટ પલટી જતા દરિયા માં જળસમાધિ લીધી હતી, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. આ મોટી દુર્ઘટનામાં ફક્ત 10 લોકોને બચાવી લેવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ ટીમોએ દરિયામાં તરતા એક વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો. બાકીના બધા હજુ પણ ગુમ છે.

થાઈલેન્ડ ની જલ સીમામાં જહાજ પલટી મારી ગયું

બોટ પલટી ગયા પછી બચાવ ટીમો દ્વારા તાત્કાલિક માહિતી મેળવી શકાઇ ન્હતી. હાલ સેંકડો લોકો ગુમ થયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, બોટ ડૂબવાનો ચોક્કસ સમય અને સ્થાન તાત્કાલિક જાણી શકાયું નથી, જે સૂચવે છે કે, મોટાભાગના ગુમ થયેલા લોકો ગુમ છે. મલેશિયન અધિકારીએ જણાવ્યું હતું કે જહાજ થાઈલેન્ડ ની જલ સીમામાં પલટી ગયું હોવાની શક્યતા છે. તેમણે ચેતવણી આપી હતી કે, સરહદ પારની ગેંગ ખતરનાક દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરીને સ્થળાંતર કરનારાઓનું શોષણ કરવામાં વધુને વધુ સક્રિય છે.

બચાવાયેલા લોકોમાં રોહિંગ્યા મુસ્લિમો સમાવેશ

એક પોલીસ વડાએ જણાવ્યું હતું કે, બચાવાયેલા લોકોમાં કેટલાક રોહિંગ્યા મુસ્લિમો હતા, જેઓ મુખ્યત્વે મ્યાનમારમાં રહે છે, જ્યાં તેઓ દાયકાઓથી અત્યાચારનો સામનો કરી રહ્યા છે. મલેશિયન મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સીના ફર્સ્ટ એડમિરલ રોમલી મુસ્તફાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ દર્શાવે છે કે, બોટ મ્યાનમારના રાખાઇન રાજ્યના બુથિડાંગ શહેરથી નીકળી હતી, અને ત્રણ દિવસ પહેલા ડૂબી ગઈ હતી.

શનિવારે બચાવ કામગીરી શરૂ કરાઇ

તેમણે વધુમાં ઉમેર્યું કે, મલેશિયાના ઉત્તરીય રિસોર્ટ ટાપુ લેંગકાવીના પાણીમાં ઘણા બચી ગયેલા લોકો મળી આવ્યા બાદ એજન્સીએ શનિવારે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દરમિયાન મ્યાનમારની એક મહિલાનો મૃતદેહ દરિયામાં તરતો મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી ઓછામાં ઓછા 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં એક બાંગ્લાદેશી અને ઘણા મ્યાનમારના લોકોનો સમાવેશ થાય છે.
“Only 10 Survivors…” How Doomed Vessels Carrying 300 Rohingya Vanished In Malaysian Waters | VERTEX

 


Related Posts

Load more