વડાપ્રધાન મોદી 8મી સપ્ટેમ્બરે નવસારી જિલ્લા ભાજપના કાર્યાલયનું લોકાર્પણ કરવા આવનાર હોવાથી ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવનિર્મિત કમલમ કાર્યાલય આગામી દિવસોમાં નવસારી જિલ્લા ભાજપની વિવિધ સંગઠનાત્મક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનશે. અહીં પક્ષની મહત્વની બેઠકો, સંગઠનની કામગીરી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાનના આગમનને લઈને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમને ભવ્ય બનાવવાની કવાયત હાથ ધરાઈ છે.