ભારતના આ 5 સ્ટાર ખિલાડીઓ કે જેમને વિશ્વકપમાં રમવાની તક ન મળી, રહી ગયુ સપનું

By: nationgujarat
27 Sep, 2023

1975માં પ્રથમ વખત ODI વર્લ્ડ કપ રમાયો હતો. ત્યારથી ટીમ ઈન્ડિયા તેમાં ભાગ લઈ રહી છે. 1983માં કપિલ દેવની કપ્તાનીમાં ભારતે વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. ત્યારથી ક્રિકેટ દેશની સૌથી લોકપ્રિય રમત બની ગઈ. એક પછી એક ખેલાડી આવવા લાગ્યા. ત્યારબાદ 2011માં પણ ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. એટલે કે 30 ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ કપ જીત્યો છે. પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે દેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ તેમને વર્લ્ડ કપમાં રમવાની તક પણ નથી મળી. આજે અમે તમને ભારતના આવા 5 કમનસીબ ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
અંબાતી રાયડુ
વનડેમાં ભારત માટે અંબાતી રાયડુનો રેકોર્ડ મજબૂત રહ્યો છે. 55 મેચમાં તેણે 47ની એવરેજથી રન બનાવ્યા છે. 2019ના વર્લ્ડ કપમાં તેનું રમવાનું નિશ્ચિત હતું પરંતુ જ્યારે ટીમની પસંદગી કરવામાં આવી ત્યારે તેના સ્થાને વિજય શંકરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આનાથી નિરાશ રાયડુએ નિવૃત્તિ લીધી. તે નિવૃત્તિમાંથી પાછો ફર્યો હતો પરંતુ ફરીથી ટીમ ઈન્ડિયામાં જોડાઈ શક્યો નહોતો. 2015 માં, તે વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો પરંતુ તેને એક પણ મેચ રમવા મળી ન હતી.

ઈશાંત શર્મા
ઇશાંત શર્મા ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાં સામેલ છે. તેને ODIમાં પણ 80 મેચ રમવાની તક મળી. 2015 વર્લ્ડ કપની ટીમમાં પણ ઈશાંતની પસંદગી થઈ હતી. પરંતુ ઈજાના કારણે તે ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ બહાર થઈ ગયો હતો. 2016 બાદ તેને ફરીથી ODI ફોર્મેટમાં રમવાની તક મળી નથી.

વીવીએસ લક્ષ્મણ
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વીવીએસ લક્ષ્મણનું સ્થાન અલગ છે. તેણે ટેસ્ટમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને જીત અપાવી છે. વનડેમાં પણ તેણે 86 મેચમાં 6 સદી ફટકારી છે. વર્લ્ડ કપ 2003માં તેની પસંદગી નિશ્ચિત માનવામાં આવી હતી પરંતુ પસંદગીકારોએ ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાને તક આપી હતી. ભારતના વર્લ્ડ કપ ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ નિર્ણયોમાં આની ગણતરી થાય છે.

ઈરફાન પઠાણ
ઈરફાન પઠાણ ઘણા વર્ષો સુધી ODIમાં ભારતનો અગ્રણી ખેલાડી હતો. ડાબોડી સ્વિંગ બોલર હોવા ઉપરાંત, તેની પાસે બેટથી પણ અજાયબી કરવાની ક્ષમતા હતી. 120 વનડેમાં પઠાણે 173 વિકેટ લીધી હતી અને ભારત માટે 1544 રન પણ બનાવ્યા હતા. પઠાણ 2007ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો પરંતુ તેને મેચ રમવાની તક મળી ન હતી. શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે હારીને ટીમ ગ્રૂપ રાઉન્ડમાં પણ બહાર થઈ ગઈ હતી.

ચેતેશ્વર પૂજારા
ચેતેશ્વર પુજારા કદાચ નવી પેઢીનો એકમાત્ર ભારતીય બેટ્સમેન છે જે માત્ર ટેસ્ટ મેચ જ રમે છે. ભારત માટે 5 વનડેમાં પૂજારાએ માત્ર 10ની એવરેજથી 51 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 27 રન હતો. 2014માં છેલ્લે વનડે રમનાર પુજારા 100થી વધુ ટેસ્ટ રમી ચૂક્યો છે. સ્થાનિક ક્રિકેટમાં સારો રેકોર્ડ હોવા છતાં તે ટીમમાં વાપસી કરી શક્યો ન હતો.


Related Posts

Load more