આજે બીજી T-20 -India Vs Ireland – સાંજે 7.30 કલાકે થશે શરૂ

By: nationgujarat
20 Aug, 2023

ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ ડબલિનના ધ વિલેજમાં રમાશે. ટીમ ઈન્ડિયાની નજર આ મેચ પણ જીતવા અને શ્રેણીમાં અજેય લીડ મેળવવા પર હશે. જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં 18 ઓગસ્ટે આ મેદાન પર રમાયેલી પ્રથમ મેચમાં ભારતે DLSની મદદથી 2 રને જીત મેળવી હતી. વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી. ટીમ ઈન્ડિયાનો આયરલેન્ડ સામે અત્યાર સુધીનો રેકોર્ડ 100 ટકા રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી 6 ટી20માંથી 6માં જીત મેળવી છે. આવી સ્થિતિમાં ભારતને બીજી T20 જીતવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

પ્રથમ વનડેની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયામાં પરત ફરતા જસપ્રિત બુમરાહે પહેલી જ ઓવરમાં 2 વિકેટ લઈને શાનદાર વાપસી કરી હતી. તેની સાથે પ્રખ્યાત કૃષ્ણાએ પણ શાનદાર બોલિંગ કરી અને ટીમ મેનેજમેન્ટને રાહતનો શ્વાસ લેવાની તક આપી.

રવિ બિશ્નોઈ સ્પિન વિભાગમાં ઝળક્યા હતા, જેમને બે સફળતા મળી હતી, તો વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબેને પણ બોલિંગ કરવાની તક મળી હતી, પરંતુ બંનેને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

બીજી તરફ જો બેટિંગની વાત કરીએ તો વરસાદના કારણે ટીમ ઈન્ડિયાના યુવા બેટિંગ યુનિટની સંપૂર્ણ કસોટી થઈ શકી નથી. યશસ્વી જયસ્વાલ પ્રથમ મેચમાં સંપૂર્ણ ફોર્મમાં જોવા મળ્યો ન હતો, પરંતુ એવી અપેક્ષા છે કે તે બીજી T20માં ધમાલ મચાવશે. તેના સિવાય બધાની નજર તિલક વર્મા પર હશે, જે છેલ્લી મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. ભારત vs આયર્લેન્ડ 2જી T20 જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન હોય તો ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા ઘણી ઓછી છે.


Related Posts

Load more