એરપોર્ટ અથવા રેલવે સ્ટેશનથી ડ્રાઈવર રાઈડ કેન્સલ કરશે તો લાગશે 5 ગણો દંડ, પૈસા મુસાફરના ખાતામાં જમા થશે

By: Nation Gujarat Team
22 Jul, 2026

મુંબઈમાં એરપોર્ટ ,રેલવે સ્ટેશન અને હોસ્પિટલ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ બુક કરાયેલી ટેક્સી રાઈડ છેલ્લી ઘડીએ રદ કરશે, તેમને હવે કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. મહારાષ્ટ્ર સરકારે આવા કિસ્સાઓમાં સામાન્ય દંડ કરતા પાંચ ગણો વધુ દંડ ફટકાર્યો છે. આ દંડ સીધો મુસાફરના એપ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય છેલ્લી ઘડીએ રાઈડ રદ્દ થવાને કારણે મુસાફરોને અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટેનો છે.

ટેક્સી સેવાઓ માટે નવા નિયમો લાગુ

મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા મહારાષ્ટ્ર મોટર વાહન એગ્રીગેટર નિયમ 2026 હેઠળ ઓલા, ઉબેર, રેપિડો જેવી એપ આધારિત ટેક્સી સેવાઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો મુજબ જો કોઈ ડ્રાઈવર રાઈડ એક્સેપ્ટ કરી રદ કરે છે. તો તેના પર કુલ ભાડાનો 10 ટકા કે, તેથી વધારે 100 રુપિયાનો દંડ ફટકારવામાં આવશે. તેમજ એરપોર્ટ , રેલવે સ્ટેશન અને હોસ્પિટલ જેવી જરુરી યાત્રાઓ માટે રાઈડ રદ કરવા પર આ દંડ સામાન્ય મામલાની તુલનામાં પાંચ ગણો વધારે થશે.

નિયમો અનુસાર જો નક્કી કરેલા સમય પછી ડ્રાઈવર 10 મિનિટની અંદર મુસાફર સુધી પહોંચતો નથી. તો રાઈડને રદ માનવામાં આવશે. તેમજ તેના પર દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકારે એગ્રીગેટર કંપનીઓને આવી ટેકનીક વ્યવસ્થા વિકસિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં મહત્વપૂર્ણ યાત્રાઓ માટે બુક કરેલી રાઈડ અનાવશ્યક રુપથી રદ ન થઈ શકે.

ખરાબી આવવા પર કંપનીને વૈકલ્પિક વાહન હાજર કરવું પડશે

મુસાફરોની સુવિધા માટે, નવા નિયમોમાં એવી પણ જોગવાઈ છે કે મુસાફરી દરમિયાન ટેકનિકલ ખામી સર્જાય તો કંપનીએ વૈકલ્પિક વાહન પૂરું પાડવું આવશ્યક છે. શહેર અથવા મ્યુનિસિપલ હદમાં, 30 મિનિટની અંદર રિપ્લેસમેન્ટ વાહન મોકલવું આવશ્યક છે, જ્યારે 100 કિલોમીટરથી વધુની મુસાફરી માટે, 60 મિનિટની અંદર રિપ્લેસમેન્ટ વાહન પૂરું પાડવું આવશ્યક છે.

એગ્રીગેટર કંપનીઓ પોતાની એપમાં ચોવીસ કલાક કોલ સેન્ટર, ફરિયાદ નિવારણ વ્યવસ્થા, લાઈવ લોકેશન શેરિંગ, ડ્રાઇવરનો સ્પષ્ટ ફોટો અને મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં સેવાઓ પૂરી પાડવી આવશ્યક છે જેથી મુસાફરો કોઈપણ સમયે સહાય મેળવી શકે. નિયમો ડ્રાઇવરોને એક સાથે એક કરતાં વધુ એગ્રીગેટર કંપનીઓ સાથે કામ કરવાની મંજૂરી આપે છે, પરંતુ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ ચકાસણી, તબીબી તપાસ અને મનોવૈજ્ઞાનિક પરીક્ષણની જરૂર પડે છે.


Related Posts

Load more