સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડૉક્ટર્સની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેમાં વિધાનસભામાં ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી. આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં 1900 ડૉક્ટરની ભરતી કરવામાં આવશે.આ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 1900થી વધુ ડૉક્ટરની ભરતી કરવામાં આવનાર છે. જેમાં વર્ગ-1ની 1100થી વધુ જગ્યા ભરાશે. અને વર્ગ-2ની 800 જગ્યા ભરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આ ભરતીને લઇ દેખાડા કરવામાં આવ્યા હતા. આ આંદોલનમાં મોટી માત્રામાં ઉમેદવારો જોવા મળ્યા હતા.ત્યારે ગાંધીનગર ખાતે સરકરના વિરોધમાં દેખાડા કરવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં યુવાનોને ટીંગાટોળી કરીને લઇ જવામાં આવ્યા હતા. જોકે છેલ્લા ઘણા સમયથી કરવામાં આવેલ ભરતીની આ માંગને સરકારે છેવટે સાંભળી હતી.