હદ છે! ‘ભારતમાં કુદરતી આફત છે, મદદ કરો’ કહીને નેપાળમાં ભીખ માંગતા 24 ભારતીયો ઝડપાયા

By: nationgujarat
10 Aug, 2023

નેપાળ પોલીસે ખોટા દસ્તાવેજો રાખવા અને પોતાને કુદરતી આફતનો ભોગ બનનાર હોવાનું દર્શાવવા બદલ 12 સગીરો સહિત 24 ભિખારીઓની અટકાયત કરીને તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે, નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ લોકો રાજસ્થાનથી છે. જેમને ભારત-નેપાળ બોર્ડર વિસ્તારના નેપાળ બાજુના બિર્ટામોડની શેરીઓમાં ભીખ માંગતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

ભારતમાં કુદરતી આપત્તિનો ભોગ બન્યા હતા

નેપાળ પોલીસે જણાવ્યું કે તેઓ હાથમાં છ મહિનાના બાળક સહિત અનેક નાના બાળકો સાથે અલગ-અલગ બહાના કરીને પૈસાની ભીખ માંગી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ ભારતમાં કુદરતી આપત્તિનો ભોગ બન્યા હતા અને આપત્તિને કારણે તેઓએ તેમના ઘર ગુમાવ્યા હતા. પોલીસે બિરતમોદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી તેઓ બિરતમોડ બસપાર્ક ખાતે ભાડાના રૂમમાં જૂથોમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પોલીસ વાહનમાં કાંકરભીટ્ટા વિસ્તારમાં મેચી પુલ પર સરહદની બીજી બાજુ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે નેપાળમાં તહેવારોની સિઝન આવતા જ નેપાળમાં સરહદ પારથી ભિખારીઓની સંખ્યા વધવા લાગે છે.


Related Posts

Load more