આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, ત્રણનાં મોત:વિજયનગરમ જિલ્લામાં અકસ્માત થયો

By: nationgujarat
29 Oct, 2023

આંધ્રપ્રદેશના વિજિયનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં 6 મુસાફરોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે, જોકે રેલવે પ્રશાસને આ વાતની પુષ્ટિ કરી નથી.

વિશાખાપટ્ટનમ-રગડા પેસેન્જર ટ્રેન પાછળથી આવતી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માત વિજયનગરમ જિલ્લાના અલામંદા-કંકટપલ્લી વચ્ચે થયો હતો.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે, જ્યારે પીટીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બે ટ્રેન અથડાઈ હતી. રેલવે તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ડિવિઝનલ રેલવે મેનેજરે ચોક્કસપણે જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે, સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફને મદદ અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ રાહત કાર્ય માટે તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું છે. એમ્બ્યુલન્સ અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.


Related Posts

Load more