આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 14 દિવસ રહેશે જેલમાં

By: nationgujarat
11 Sep, 2023

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સીબીઆઈ દ્વારા 9 સપ્ટેમ્બરે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.રવિવારે વિજયવાડા કોર્ટે તેમને 14 દિવસ માટે જેલમાં મોકલી દીધા હતા. કોર્ટના આદેશ બાદ નાયડુને રાજમહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા હતા.સુરક્ષાના કારણોસર તેમને જેલના એક ખાસ રૂમમાં રાખવામાં આવ્યા છે. તેને જેલમાં ઘરનું ભોજન ખાવાની છૂટ આપવામાં આવી છે. કોર્ટે ચંદ્રબાબુ નાયડુને ઘરે બનાવેલું ભોજન ખાવા અને દવાઓ લેવાની છૂટ આપી છે.

આંધ્રપ્રદેશના અમરાવતીમાં ACB કોર્ટે રાજમહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટને પૂર્વ સીએમ નાયડુને જેલના એક અલગ રૂમમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે, આ આદેશ તેમના જીવના જોખમને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે.

કોર્ટે સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટને નાયડુને ઘરનું રાંધેલું ભોજન, દવાઓ અને જેલમાં એક સ્પેશિયલ રૂમ સહિત તમામ વિશેષ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. કસ્ટડીના આદેશ અનુસાર, ન્યાયાધીશે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ પર લાગેલા આરોપોમાં વિશ્વાસ કરવા માટેનું કારણ છે અને કેસની તપાસ પૂર્ણ કરવા માટે 24 કલાક પૂરતા નથી. એટલા માટે નાયડુને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના પૂર્વ સીએમને 22 સપ્ટેમ્બરે સવારે 10.30 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કડક સુરક્ષા અને ખરાબ હવામાન વચ્ચે ચંદ્રાબાબુ નાયડુને વિજયવાડાથી લગભગ 200 કિલોમીટર દૂર રાજમહેન્દ્રવરમ જેલમાં મોકલવામાં આવ્યા હતા. નાયડુને જેલમાં મોકલવામાં આવ્યા પછી, તેમના પુત્ર અને TDP મહાસચિવ, નારા લોકેશે X (અગાઉ ટ્વિટર) પર એક ભાવનાત્મક નોંધ લખી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે તે અન્યાયી છે કે તેના પિતાને જે અપરાધ માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો તે તેણે ક્યારેય કર્યો નથી.

ના


Related Posts

Load more