બનાસકાંઠા (Banaskantha) ના ડીસા ખાતે આયોજિત ‘આભાર દર્શન’ કાર્યક્રમ (Thanksgiving Program) દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે (Gulabsingh Rajput) પક્ષની નબળાઈઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જાહેર મંચ પરથી સ્વીકાર્યું હતું કે પક્ષને બહારના વિરોધીઓ કરતાં અંદરના લોકોથી વધુ જોખમ છે.
ગુલાબસિંહ રાજપૂતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોંગ્રેસને હરાવવા માટે કોઈ બહારની શક્તિની જરૂર પડતી નથી. પક્ષની અંદરના લોકો જ પક્ષને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે.તેમણે ઉમેર્યું કે ચૂંટણી સમયે છેલ્લી ઘડી સુધી નેતાઓ ટિકિટ મેળવવા માટે સખત લોબિંગ કરતા હોય છે. જો કોઈ કારણસર ટિકિટ ન મળે, તો તે જ વ્યક્તિ પક્ષને હરાવવાના કામે લાગી જાય છે. રાજપૂતે બનાસકાંઠાના રાજકીય ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અહીં જ્યારે પણ કોંગ્રેસની હાર થઈ છે, ત્યારે તેમાં પક્ષના જ લોકોનો હાથ રહ્યો છે. વિરોધ પક્ષ કરતા ઘરના જ લોકો વધુ નુકસાનકારક સાબિત થયા છે.
આ નિવેદન દ્વારા તેમણે પક્ષના કાર્યકરો અને નેતાઓને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો છે, જે આગામી સમયમાં સંગઠન (Organization) માટે ચિંતાનો વિષય બની શકે છે.