અમદાવાદમાં યોજાશે 70મો ફિલ્મફેર એવોર્ડ, 11 ઓક્ટોબરની રાતે શહેરમાં બોલિવૂડ હસ્તીઓના ધામા

By: nationgujarat
10 Oct, 2025
અમદાવાદ: શહેરમાં આવતીકાલે ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે. જેમાં કાંકરિયા ખાતે આવેલા એકા સ્ટેડિયમમાં આ એવોર્ડ યોજાશે. 70મો ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગુજરાતમાં યોજાશે અને આ એવોર્ડ શાહરુખ ખાન, મનીષ પોલ અને કરણ જોહર હોસ્ટ કરવાના છે. એવોર્ડ શોની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં કાંકરિયા આસપાસના રસ્તાઓને ચમકાવી દેવામાં આવ્યા છે. સાથે જ એવોર્ડ શોને લઈને પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
જે પણ લોકોને આ એવોર્ડમાં જવું હોય તે લોકો ટિકિટ ખરીદીને જઈ શકે છે. 11 ઓક્ટોબર સાંજે 7:30 વાગ્યે એવોર્ડ સમારોહ યોજાવાનો છે. બપોરે 3 વાગ્યા બાદથી એન્ટ્રી આપવાનું શરૂ કરવામાં આવશે અને રાતના 8 વાગ્યે ગેટ બંધ કરી દેવામાં આવશે બાદમાં કોઈને એન્ટ્રી નહીં મળી શકે. આ એવોર્ડ શોને ગુજરાત ટુરિઝમ અને હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ ભેગા મળીને કરી રહ્યા છે.એવોર્ડ શોની ટિકિટનો ભાવ 7,500 થી લઈને 50,000 જેટલી રાખવામાં આવી છે.એવોર્ડ ફંક્શનમાં જવા વાળા લોકોએ પોતાના મોબાઈલ નંબરથી કે પછી ઈ-મેઈલથી District App પર જઈને લોગઈન કરવું પડશે. જ્યારે તમે ટિકિટ બુક કરશો ત્યારે તમારે Transaction mode અને Contact Detail આપવા પડશે. જે ટિકિટ તમે ખરીદશો તે ટ્રાન્સફર નહીં થઈ શકે. સાથે જ કોઈ ખોટી રીતે ટિકિટને વેચશે તો તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.સ્ટેડિયમમાં ગયા બાદ તમને ટિકિટ કાઉન્ટરના ટિકિટ વિન્ડો પરથી બુક કરેલી ટિકિટ મળી જશે. ટિકિટ ખરીદતા સમયે તમને ક્યૂઆર કોડ મળ્યો હશે તે તમારે ત્યાં બતાડવો પડશે. જે કોડને ડિસ્ટ્રીક્ટ ટીમના સભ્યો દ્વારા ઇનબિલ્ટ સિસ્ટમથી ચકાસવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇવેન્ટના થોડા કલાકો પહેલા ક્યૂઆર કોડ લોક કરવામાં આવશે. એકવાર કોડ સ્કેન કર્યા પછી અન્ય કોઈપણ વ્યક્તિ આ કોડનો ઉપયોગ નહીં કરી શકે.

ફિલ્મ ફેર એવોર્ડ ની આગલી રાત્રિ બૉલીવુડ ની અમુક હસ્તીઓ નો જમાવડો  કાંકરિયાના ઇકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે જોવા મળ્યો હતો , જેમાં અભિષેક બચ્ચન ફોટો શૂટ કર્યું હતું , અક્ષયકુમાર , કારણ જોહર , બૉલીવુડ ના કિંગ એવા શાહરુખ ખાન તેમના દીકરા અર્યાનખાન સાથે ઈકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે રિહર્સલ કરવા આવી પહોંચ્યા હતા , સખત ટાઈટ સિકયુરિટી સાથે મોંઘીદાટ કાર માં શાહરુખ ખાન ઇકા સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમ માં પ્રવેશ કર્યો હતો.

શાહરુખ ખાન ની એક ઝલક જોવા માટે માનવ મહેરામણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બહાર ઉમટી પડ્યું હતું . પણ અફસોસ કે ટાઈટ સેક્યુરીટી અને ગાડી ના ગ્લાસ કાલા તેમજ પડદા નાખેલા હોવાથી લોકો શાહરુખ ખાન ને નિહાળી શક્યા નહોતા.એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે રાત્રે 8 વાગ્યે ફિલ્મફેર એવોર્ડ શરૂ થશે જે મોદી રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે જેથી બૉલીવુડ ના સિતારા કાંકરિયા વિસ્તાર ના પ્રસિદ્ધ એવા કાંકરિયા લેક , તેમજ બાલવાટિકા ની મુલાકાત કરી શકે છે,

મળતી માહિતી મુજબ ફિલ્ફર એવોર્ડ પત્યા બાદ બૉલીવુડ ના અમુક સિતારા અમદાવાદ ના પ્રખ્યાત એવા માણેકચોક ની ખાણી પીણી બાઝાર ની અથવા સિન્ધુભવન રોડ પર કોઈ ફૂડ કોર્ટ ની મુલાકાત કરી શકે છે.. એવી ભી વાત સામે આવી રહી છે કે એસ.જી હાઇવે રોડ પાર આવેલ પ્રખ્યાત એવા પેલેડિયમ મોલ ની મુલાકાત ભી કરી શકે છે


Related Posts

Load more