કેતન હત્યાકાંડ: આરોપી મંગેતર વિશે મોટો ખુલાસો, 12મું ફેલ હતી સિયા, ‘ગંદી’ આદતોથી પરેશાન હતા

By: Nation Gujarat Team
27 Jun, 2026

પુનાના બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મૃતક કેતનના પિતા વિશાલ અગ્રવાલનો દાવો છે કે સંબંધ નક્કી કરતા પહેલા સિયાનો અભ્યાસ અને તેના વ્યક્તિ વિશે ખોટી જાણકારી આપવામાં આવી હતી. તેમણે સિયા પર અત્યંત ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. જેમાં દારૂનું સેવન સહિત ઘણી ખરાબ આદતો સામેલ છે.

  • આ કેસમાં નવા ચોંકાવનારા ખુલાસા થતા જાય છે. મીડિયા રિપોર્ટ મુજબ કેતન અગ્રવાલના પિતા વિશાલ અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે લગ્ન નક્કી થતા પહેલા તેમના પરિવારને સિયાના શિક્ષણ અને તેના વ્યક્તિત્વ વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી.
  • વિશાલ અગ્રવાલે મીડિયા  સાથે વાતચીત કરતા કહ્યું કે જ્યારે બંને પરિવારો વચ્ચે સંબંધ નક્કી થતો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે સિયા બી કોમ કરી ચૂકી છે અને જલદી પોતાની બેકરીનો કારોબાર શરૂ કરવાનું વિચારે છે.
  • કેતનના પિતાના જણાવ્યાં મુજબ પોલીસ તપાસ દરમિયાન સામે આવેલી જાણકારીથી તેમને મોટો ઝટકો લાગ્યો.
  • તેમણે દાવો કર્યો કે  તપાસમાં જાણવા મળ્યું છે કે સિયા ફક્ત 10મું ધોરણ પાસ છે અને 12માં ધોરણની પરીક્ષા પણ પાસ કરી શકી નહતી. તેમના જણાવ્યાં મુજબ આ જાણકારી તેમનાથી છૂપાવવામાં આવી હતી.

ખરાબ આદતોથી પરેશાન હતો પરિવાર?

  • મૃતક કેતનના પિતાએ એવો આરોપ પણ લગાવ્યો કે સિયાને દારૂ પીવા સહિત અનેક  ખરાબ આદતો હતી અને તેનો પરિવાર પણ તેના વ્યવહારથી પરેશાન હતો.
  • તેમનો દાવો છે કે આ કારણે તેના પરિજનોએ એક સારા અને સંપન્ન પરિવારમાં તેના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો જેથી કરીને ગાડી પાટા પર આવી શકે.
  • વિશાલ અગ્રવાલના જણાવ્યાં મુજબ આ જ કારણસર સિયાના પરિવારે તેમના પર કેતન સાથે લગ્ન કરવાનું દબાણ બનાવ્યું.

અત્રે જણાવવાનું કે આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી અને પોલીસે પણ આ મામલે કોઈ પણ અધિકૃત નિવેદન જારી કર્યું નથી.

18 જૂનના રોજ થઈ હતી હત્યા
કેતન અને સિયાની સગાઈ થઈ હતી અને નવેમ્બર મહિનામાં લગ્ન હતા. બંનેના લગ્નને લઈને પરિવાર ખુબ ઉત્સાહી હતો. પરંતુ સિયાને કેતન નહતો ગમતો અને ચેતન સાથે પ્રેમ સંબંધને પગલે તે કેતનને રસ્તા પરથી હટાવવા માંગતી હતી એવો આરોપ છે.  જેને કારણે 18 જૂનના રોજ લોહગઢ કિલ્લા પર બંને ગયા અને ચેતન પણ ત્યાં આવ્યો. સિયા અને ચેતને ષડયંત્ર રચીને કેતનને કિલ્લા પરથી ધક્કો મારી દીધો હોવાનો આરોપ છે.

કેતનની વિગ નહતી ગમતી સિયાને
પોલીસના જણાવ્યાં મુજબ સિયા ગોયલે એવું પણ કહ્યું છે કે તેને કેતન અગ્રવાલ એટલા માટે પણ પસંદ નહતો કારણ કે તે વિગ પહેરતો હતો. જ્યારે તેને પૂછવામાં  આવ્યું કે તેણે પરિવારને કેમ ન જણાવ્યું કે તેને લગ્ન નથી કરવા તો તો તેણે કહ્યું કે તે તેમને દુખ પહોંચાડવા માંગતી નહતી. બીજી બાજુ કેતનના પિતાએ પુષ્ટિ કરી કે તેમનો પુત્ર કેતન વાળનો એક નાનો પેચ (વિગ) પહેરતો હતો અને કહ્યું કે સગાઈ પહેલા જ સિયા ગોયલ અને તેના પરિવારને આ અંગે જણાવી દેવાયું હતું.

સિયાના ચોંકાવનારા ખુલાસા

  • જ્યારે પોલીસે  કેતન અગ્રવાલ હત્યાકાંડમાં પકડાયેલી આરોપી સિયા ગોયલને પૂછ્યું કે જો તે  કેતનને પસંદ નહતી કરતી તો તેણે પરિવારને કેમ ન જણાવ્યું તો તેણે જવાબ આપ્યો કે હું મારા પરિવારને દુખ પહોંચાડવા માંગતી નહતી.
  • સિયાએ કહ્યું કે હું તેમને પરેશાન જોઈ શકતી નહતી.  તેની જગ્યાએ કેતનને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચવાનું વધુ સરળ લાગ્યું. આથી અમે આ યોજના બનાવી.
  • તેના કહેવા મુજબ ટ્રેકિંગ દરમિયાન ખાઈમાં ભૂલથી પડવા ઉપરાંત કોઈ અન્ય ચીજ પર શક જવો અશક્ય હતો. લોહાગઢમાં કોઈ સીસીટીવી કેમેરા પણ નહતો.
  • પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન સિયાનો આ જવાબ ચોંકાવનારો હતો.

મળતી માહિતી મુજબ આ મામલે મુખ્ય આરોપીઓ સિયા ગોયલ અને ચેતન ચૌધરીને શુક્રવારે ગૂપચૂપ રીતે લોહાગઢ કિલ્લા પાસે લઈ ગઈ હતી. સૂત્રો મુજબ બંને આરોપીઓને લગભગ સવારે 11 વાગે કિલ્લા પાસે લઈ જવાયા હતા. આ દરમિયાન તપાસ અધિકારીઓએ પૂછ્યું કે તેઓ કિલ્લા સુધી પહોંચવા માટે કયા રસ્તે પહોંચ્યા હતા. પોલીસનું કહેવું છે કે કિલ્લા સુધી પહોંચવા માટે બે અલગ અલગ રસ્તા છે. સિયા અને ચેતન કયા રસ્તે પહોંચ્યા તે ઓળખ કરવાનો હતો. ઘટનાક્રમ બાદ પોલીસ બંને આરોપીઓને પાછા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યાં મુજબ આવનારા સમયમાં સિયા ગોયલના માતા પિતાના નિવેદન લેવાઈ શકે છે.

તપાસ ભટકાવી રહ્યા છે સિયા-ચેતન?
સિયા અને ચેતનની પૂછપરછ કરી રહેલી પોલીસનો દાવો છે કે સિયા અને ચેતન એક બીજા પર દોષનો ટોપલો ઢોળીને  તપાસને ભટકાવવાની અને તપાસમાં વિલંબ કરવાની કોશિશ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યાં મુજબ સિયા અને ચેતન એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. જેનાથી તપાસ પ્રભાવિત થઈ રહી છે.


Related Posts

Load more