સરખેજ ભારતી આશ્રમ વિવાદમા,રાત્રે બાઉન્સર-100 સમર્થક સાથે આવી તાળાં તોડ્યાં

By: nationgujarat
30 Aug, 2024

સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે. 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે આશ્રમ પર કબજો કરી લીધો હતો. પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે તેઓએ પોતાના સમર્થકો સાથે મંદીરમાં પ્રવેશ કર્યો હતો. પ્રવેશ બાદ મુખ્યમંદીરમાં દર્શન કરી આશ્રમની મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા. આ પહેલા છેલ્લા દોઢ વર્ષથી આશ્રમનો વહિવટ કરતા મહંત રૂષી ભારતી સાંજથી જ આશ્રમની બહાર હતા્ આ પહેલાં મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમો પૈકિ ત્રણ આશ્રમનો વહિવટ હરિહરાનંદ બાપુ કરે છે. પરંતુ સરખેજ આશ્રમનો વહિવટ રૂષી ભારતી દ્વારા કરવામાં આવતો હતો. હરીહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસીહત નામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. આગામી 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો. થોડા સમય પહેલા હરીહરાનંદ બાપુના ગુરુભાઈ કલ્યાણભારતી બાપુનો સ્વર્ગવાસ થયો ત્યારે તેમની સમાધિ વખતે રૂષીભારતી અને હરીહરાનંદ બાપુ વચ્ચે સમાધાનની વાત સામે આવી હતી, પરંતુ પછી બંને બાપુએ સમાધાનને માત્ર ઔપચારિક ગણાવ્યું હતું. સરખેજ ભારતી આશ્રમની સમગ્ર પ્રોપર્ટી આશરે 50 કરોડથી વધુ રકમની છે.

બાકી રહેલા ચાર્તુર્માસમાં હું અહીં જ રહીશ
હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે, તમામ ટ્રસ્ટ મંડળે મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો છે જેથી હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ. સાથે જ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરેલા ઠરાવને પણ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બાકી રહેલા ચાતુર્માસ દરમિયાન હું અહીંયા જ અનુષ્ઠાન કરવાનો છું. સરખેજ ભારતીય આશ્રમનો વહીવટ હવે મારા દ્વારા જ કરવામાં આવશે.

મુદ્દો કોર્ટમાં ચાલે છે, અમને કોર્ટ પર વિશ્વાસ છે
ઋષિભારતી (હરિહરાનંદના શિષ્ય)એ કહ્યું કે, હું શુક્રવારે બપોરે ત્રણ કલાકે બીજા આશ્રમની મુલાકાતે ગયો હોવાથી કેટલાક લોકો મારા આશ્રમમાં કબજો કરવા આવ્યા છે. સરખેજ ભારતી આશ્રમનો મુદ્દો કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ જે નિર્ણય લેશે તે નિર્ણય આખરી રહેશે મને કોર્ટ પર વિશ્વાસ છે.


Related Posts

Load more