મંત્રી પરિષદની બેઠકની 5 મોટી વાતો
– 11 મહિનાના લાંબા અંતરાલ બાદ આખી મંત્રી પરિષદની પ્રથમ બેઠક મળી.
– છેલ્લા 12 વર્ષની સિદ્ધિઓ અને છેલ્લા 2 વર્ષના સુધારાનો વિગતવાર રિપોર્ટ રજૂ થયો.
– પીએમ મોદીએ મંત્રીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓ સીધી જનતા સુધી પહોંચાડવા કહ્યું.
– વિદેશ મંત્રી એસ. જયશંકરે વડાપ્રધાન મોદીના તાજેતરના 5 દેશોના પ્રવાસની વિગતો આપી.
– પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારતમાં આર્થિક સુધારા વધુ ઝડપી બનાવવાની વ્યૂહરચના.
મોદી (PM Modi) સરકારમાં મોટા ફેરબદલના એંધાણ
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રાજકીય ગરિમારો છે કે 9 જૂન પહેલા મોદી કેબિનેટમાં મોટો ફેરબદલ થઈ શકે છે. 9 જૂને મોદી સરકારના કેન્દ્રમાં 12 વર્ષ અને તેમની ત્રીજી ટર્મના 2 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પીએમ મોદી આગામી દિવસોમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશના આર્થિક અને સામાજિક સુધારાની ગતિ વધુ તેજ કરવા માંગે છે તે આ બેઠક પરથી સાબિત થાય છે.