CJP Rejects PM Modi’s Fast-Track Court Offer: NEET પેપર લીકની ઘટના સામે દેશભરમાં ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાને પેપર લીકના દોષિતોને ઝડપી અને સખત સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. જોકે, દિલ્હીમાં આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’એ આ જાહેરાતને ફગાવી દીધી છે.
આ ઉપરાંત, CJP નેતા અભિજીત દીપકે વડાપ્રધાનની પોસ્ટને ક્વોટ-પોસ્ટ કરી હતી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો પર “Hi, I am nothing” લખેલું હતું. આ દ્વારા સંસ્થાએ સરકાર અને શિક્ષણ મંત્રી બંને સામે રાજકીય જવાબદારીમાંથી છટકવાનો આક્ષેપ કર્યો હતો.
CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની જાહેરાત પેપર લીકની વારંવાર બનતી ઘટનાઓ પાછળના મૂળ કારણને ઉકેલવામાં નિષ્ફળ રહી છે.
CJPએ વડાપ્રધાનના પ્રસ્તાવને મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે અને પોતાની પ્રાથમિક માંગણી પર અડગ રહેતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ દોહરાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે, સરકાર માટે યુવાનોનું ભવિષ્ય અને કલ્યાણ સૌથી વધુ મહત્વનું છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે પેપર લીકના કેસો ચલાવવા ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારાઓને છોડવામાં નહીં આવે.
પીએમ મોદીની આ પોસ્ટ પર CJP એ તુરંત પ્રતિક્રિયા આપતાં ‘X’ પર ટૂંકો પણ આકરો મેસેજ લખ્યો:
રાંકાએ દલીલ કરી હતી કે પેપર લીક એટલા માટે નથી થઈ રહ્યા કે દેશમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ નથી, પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સંપૂર્ણ નિષ્ફળતા અને અક્ષમતાના કારણે થઈ રહ્યા છે.
તેઓ એક સુરક્ષિત અને ચોક્કસ પરીક્ષા સિસ્ટમ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. આજે દેશનો યુવા એક જ વસ્તુ માંગી રહ્યો છે – જવાબદારી. વડાપ્રધાનનો પ્રસ્તાવિત ઉકેલ એવો છે જાણે ફેક્ચર થયેલા હાડકા પર બેન્ડ-એડ લગાવવી! સમસ્યા આનાથી વધુ ઊંડી છે. આપણી પરીક્ષા પ્રણાલી અંદરથી સડી ગઈ છે. જ્યાં સુધી આ સિસ્ટમિક નિષ્ફળતાઓને સુધારવામાં નહીં આવે, ત્યાં સુધી પેપર લીક થતા રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને લાંબી કાનૂની પ્રક્રિયાઓના આશ્વાસનની જરૂર નથી પણ તાત્કાલિક ન્યાય અને જવાબદારીની જરૂર છે, જે શિક્ષણ મંત્રી સામેની સખત કાર્યવાહીથી શરૂ થવી જોઈએ.
NEET વિવાદ પર પોતાના પ્રથમ મૌન તોડતાં વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે:
દિલ્હીના જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો વિદ્યાર્થીઓ અને સમર્થકો એકઠા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે, જ્યારે બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિપક્ષ પર આ પ્રદર્શનનું રાજકીયકરણ કરવાનો આક્ષેપ કર્યો છે.
CJP એ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર તેમની નીચેની 4 મુખ્ય માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી તેમનું દેશવ્યાપી આંદોલન ચાલુ રહેશે: