વર્ક ફ્રોમ હોમ: ઈંધણ બચાવવા માટે ફરીથી વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાથમિકતા આપવી જોઈએ.
વિદેશી મુદ્રાની બચત: પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડીને મોંઘા ભાવે આયાત થતા ઈંધણ પાછળ ખર્ચાતી વિદેશી મુદ્રા બચાવવી એ દરેક નાગરિકની જવાબદારી છે.
વૈશ્વિક યુદ્ધની અસર: પડોશમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ખાતર અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે.
PM મોદીની જનતાને 10 મોટી અપીલ
વૈશ્વિક યુદ્ધની અસર: વૈશ્વિક સંઘર્ષોની ભારત પર ગંભીર આર્થિક અસર થઈ છે તે સમજવી જરૂરી છે.
તેલ સંકટ: સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી ઈંધણના સંસાધનોની તંગી છે.
વર્ક ફ્રોમ હોમ: ઈંધણ બચાવવા માટે ફરીથી ‘વર્ક ફ્રોમ હોમ’ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાથમિકતા આપવી જોઈએ.
ઈંધણની બચત: પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ સંયમપૂર્વક કરવાનો સંકલ્પ કરો.
પબ્લિક ટ્રાન્સપોર્ટ: જ્યાં મેટ્રો કે અન્ય જાહેર પરિવહન ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરો.
કાર પૂલિંગ: જો ખાનગી વાહન જરૂરી હોય, તો વધુ લોકોને સાથે લઈને મુસાફરી કરો (Car Pooling).
વિદેશ પ્રવાસ ટાળો: એક વર્ષ સુધી વિદેશ ફરવા જવા કે ત્યાં લગ્નોમાં જવાનું ટાળો, તેના બદલે દેશમાં જ પર્યટન કરો.
વિદેશી મુદ્રાની બચત: બિનજરૂરી ખર્ચ ઘટાડી દેશની આર્થિક મજબૂતીમાં યોગદાન આપો.
સોનું ખરીદવાનું ટાળો: એક વર્ષ સુધી સોનું ન ખરીદવાનો સંકલ્પ લો.
આત્મનિર્ભરતા: એવા પગલાં ભરો જે ભારતને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે.
ભારતીયો માટે સોનાથી દૂર રહેવું સરળ નથી, કારણ કે તે ભાવનાઓ સાથે જોડાયેલું છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં વડાપ્રધાનની આ અપીલ દેશહિતમાં છે. જો રોકાણની સંસ્કૃતિ બદલાય અને લોકો ડિજિટલ વિકલ્પો તરફ વળે, તો ભારત આર્થિક રીતે વધુ સદ્ધર બની શકે છે.