પત્ની રાજકોટમાં બીજા લગ્ન પણ કરી લીધા
પોલીસે તાત્કાલિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સ્કેન કર્યા અને જે વિગતો સામે આવી તેનાથી બધા ચોંકી ગયા. આ મહિલા વર્ષ 2016માં કૌટુંબિક ઝઘડાના કારણે ઘર છોડીને રાજકોટ આવી ગઈ હતી, જ્યાં તેણે બીજા લગ્ન કરી લીધા હતા અને હાલમાં તે ત્યાં ગરબા ક્લાસ ચલાવે છે. તેનો જે પુત્ર 5 વર્ષની ઉંમરે ગુમ થયો હતો તે હવે 15 વર્ષનો કિશોર થઈ ગયો છે.
લોકો ગુમ થવા પાછળ કૌટુંબિક વિવાદો, લગ્નજીવનના પ્રશ્નો, પરીક્ષાનું ટેન્શન, પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા અને આર્થિક તંગી જેવા અનેક જટિલ માનવીય પાસાઓ જવાબદાર હોય છે.