અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત

By: Nation Gujarat Team
07 Jul, 2026

ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2008ના અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં એક ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ આતંકી હુમલાના ગુનામાં નીચલી અદાલત (સ્પેશિયલ કોર્ટ) દ્વારા ફટકારવામાં આવેલી તમામ 38 દોષિતોની ફાંસીની સજાને મંજૂરી (કન્ફર્મ) આપી દીધી છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમાં 56 લોકોના મોત નીપજ્યા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2022 માં સ્પેશિયલ કોર્ટે આ કેસના 38 આતંકીઓને ફાંસીની સજા સંભળાવી હતી, જે ભારતના ન્યાયિક ઈતિહાસમાં એકસાથે સૌથી વધુ લોકોને ફાંસી આપવાનો રેકોર્ડ હતો. હવે હાઈકોર્ટે પણ આ તમામ આતંકીઓની સજાને યથાવત રાખીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.


Related Posts

Load more