લાલ કિલ્લાની પ્રાચીર પરથી 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મોટા સ્વપ્નો અને ઊંચા સંકલ્પો સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવે દેશ નાના સ્વપ્નોથી ચાલે તેમ નથી, કારણ કે મોટા સ્વપ્નો આપણી વિચારસરણીને વિસ્તાર આપે છે અને દ્રઢ સંકલ્પો વિકટ પરિસ્થિતિઓ વચ્ચેથી પણ માર્ગ કાઢવાનું સામર્થ્ય પૂરું પાડે છે. જ્યારે આપણા લક્ષ્યો અને પ્રયાસોની ઊંચાઈ વધશે ત્યારે જ આપણે સમર્થ અને મહાન ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું.