વલસાડમાં પૂરના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો, વેપારીઓને લાખોનું નુકસાન

By: Nation Gujarat Team
24 Jul, 2026

વલસાડ શહેરમાં ભારે વરસાદ બાદ હવે પૂરના પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે, પરંતુ પાણી જતાં જ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય માર્ગો પર 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો. પૂર ઓસરતા જ ચોતરફ કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ભારે નુકસાનની વાસ્તવિકતા બહાર આવી રહી છે.

શહેરના મુખ્ય બજારોમાં આવેલી દુકાનોમાં 5 થી 7 ફૂટ સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા. દુકાનોમાં મુકેલો મોટાભાગનો કિંમતી માલસામાન પાણીમાં પલળીને સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગયો છે. પૂરના પાણી ઉતર્યા બાદ જ્યારે વેપારીઓ પોતાની દુકાને પહોંચ્યા, ત્યારે થયેલી તારાજી જોઈને અનેક વેપારીઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને રોઈ પડ્યા હતા.


Related Posts

Load more