એજન્સીએ જણાવ્યું કે, તેના રેકોર્ડમાં કુલ ત્રણ એવા પુરાવા નોંધાયા છે જે, આ મામલા સાથે જોડાયેલા છે. એકવાર ઉમેદવારના લોગિનથી કેન્દ્ર બદલીને અબુ ધાબી કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય બે પ્રસંગોએ અબુ ધાબી કેન્દ્રની માહિતીનું પ્રિવ્યૂ કરવામાં આવ્યું હતું. NTAએ પુનરાવર્તન કર્યું કે, તેમનો ઉદ્દેશ્ય એ છે કે, કોઈ પણ વિદ્યાર્થી વહીવટી મૂંઝવણ અથવા તકનીકી વિવાદને કારણે પરીક્ષાથી વંચિત ન રહે.