Bharuch : જૈન મંદિર વિવાદ, સંત સમાજની વિશાળ રેલી, 35,000 સહીઓ સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર

By: Nation Gujarat Team
15 Jun, 2026

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અને તે જૈન મંદિર હોવાના દાવાને લઈને ચાલી રહેલો વિવાદ આજે રસ્તા પર ઉતરી આવ્યો છે. આ મામલે પોતાનો વિરોધ નોંધાવવા સંત સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલી શક્તિનાથ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.

35,000 લોકોના હસ્તાક્ષર સાથેનું એક મહત્વપૂર્ણ આવેદનપત્ર

આ રેલીમાં ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં હિન્દુ અને જૈન સમાજના આગેવાનો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આંદોલનકારીઓએ પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે 35,000 લોકોના હસ્તાક્ષર સાથેનું એક મહત્વપૂર્ણ આવેદનપત્ર કલેક્ટરને સોંપ્યું છે.

પૌરાણિક જૈન મંદિર હોવાનો દાવો

તેઓની મુખ્ય માંગણી છે કે આ ઐતિહાસિક સ્થળની પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને તેની મૂળ ધરોહર જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જામા મસ્જિદના સ્થાને પૌરાણિક જૈન મંદિર હોવાનો દાવો સમિતિ દ્વારા ફરી એકવાર દોહરાવવામાં આવ્યો છે.


Related Posts

Load more