નવા પ્રાણીને સ્થાનાંતરિત કરતાં પહેલા તેનો સર્વે કરાશે
કોઈપણ જંગલી પ્રાણીને નવા લેન્ડસ્કેપમાં સ્થાનાંતરિત કરતા પહેલા રહેઠાણનું મૂલ્યાંકન કરવું અનિવાર્ય છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસા પછી આ સર્વે પૂર્ણ કરવામાં આવશે. આ રિપોર્ટમાં મુખ્યત્વે શિકારની ઉપલબ્ધતા, પાણીના સ્ત્રોતો, રહેઠાણની યોગ્યતા, સુરક્ષાના માપદંડો અને માનવ-વન્યજીવન સંઘર્ષના જોખમોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.