સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, “કોઈપણ સૈન્ય અધિકારી માટે સૌથી મોટી ખુશી ત્યારે આવે છે જ્યારે તેના સૈનિકો તેને સ્વીકારે છે અને તેના પર તેમનો પૂર્ણ વિશ્વાસ હોય છે. જ્યારે કોઈ સૈનિક કોઈ સફળ ઓપરેશન પછી તમને ગળે લગાવે છે, ત્યારે કોઈ પદ અથવા હાઈરાર્કી (વર્ગીય ક્રમ) રહેતી નથી, તે તમને પોતાનો સાથી (comrade) માને છે. તે સૌથી ખાસ પળ હોય છે.”
જણાવી દઈએ કે, દિલ્હીમાં આયોજીત સેના સંવાદ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ સિવિલ મિલિટ્રી સંવાદ મંચ માનવામાં આવે છે. જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક પડકારો અને પ્રાદેશિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સેનાના અધિકારીઓ, વ્યૂહાત્મક મામલાઓના નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો. આર્મી ચીફે પોતાના સંબોધનમાં બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ, સરહદી સુરક્ષા અને આધુનિક યુદ્ધના પડકારો પર પણ વિસ્તૃત ચર્ચા કરી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદનને માત્ર સૈન્ય ટિપ્પણી જ નહીં, પરંતુ એક મોટો કૂટનીતિક સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.