ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ ખેડૂતને સદાબહાર જાતની કેરીનું વધુ ઉત્પાદન કરવા અને દેશમાં આખું વર્ષ કેરીની સીઝન રહે તે માટે પ્રોત્સાહન આપતા કહ્યું કે જો આ ખેડૂત ઈચ્છે તો હું મદદ કરવા તૈયાર છું. આ એક સાચી પદ્ધતિ છે, સાચી ઉદ્યોગ સાહસિકતા છે. વિજ્ઞાાન અને કૃષિનો સંયોગ સાધીને જે પ્રયોગ થયો છે એ પ્રશંસનીય છે. આપણે એન્જિનિયરિંગ કેમ્પસમાં સ્ટાર્ટઅપ્સ શોધીએ છીએ, પરંતુ આપણે ખેતરોને પણ નજીકથી જોવાની જરૂર છે. કેરીની આ જાતનું ઉત્પાદન વધે અને સપ્લાય ચેન યોગ્ય થાય તો ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. તમે વિચારો કે જો કેરીની સીઝન વર્ષમાં ક્યારેય પૂરી જ ન થાય તો એવો અનુભવ હશે?