પાડોશી દક્ષાબેનના જણાવ્યા મુજબ, પ્રદીપ ગુરુજી લોકોની તબિયતને આધારે અલગ-અલગ દવાઓ આપતો હતો અને કેટલાક લોકો તેના સંપર્કમાં પણ હતા. “મારા પિતાના સ્વાસ્થ્ય માટે મારા ભાઈએ પણ તેની પાસેથી દવા મંગાવી હતી,” જોકે, દક્ષાબેને આ સાથે શંકા પણ વ્યક્ત કરી હતી. તેમના કહેવા મુજબ, “મેં મારા પરિવારજનોને અગાઉથી ચેતવણી આપી હતી કે પ્રદીપ ગુરુજી વિશ્વાસપાત્ર નથી.”