શા માટે ‘કેરલમ’?
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ ફેરફાર પાછળનું કારણ સમજાવતા કહ્યું હતું કે, “મલયાલમ ભાષામાં આપણા રાજ્યને ‘કેરલમ’ જ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ મલયાલમ ભાષી સમુદાયો માટે ‘સંયુક્ત કેરલમ’ બનાવવાની માંગ ઉઠી રહી હતી. જોકે, બંધારણની પ્રથમ અનુસૂચિમાં રાજ્યનું નામ ‘કેરળ’ લખવામાં આવ્યું છે. આથી અમે કેન્દ્રને અનુરોધ કર્યો હતો કે બંધારણના અનુચ્છેદ 3 હેઠળ તાત્કાલિક સુધારો કરી તેને તમામ ભાષાઓમાં ‘કેરલમ’ કરવામાં આવે.”
મે મહિનામાં છે વિધાનસભા ચૂંટણી
કેરળમાં આગામી મે મહિના પહેલા વિધાનસભાની 140 બેઠકો માટે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે પહેલા નામ બદલવાનો આ નિર્ણય રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.