ભારતસિંહ પરમારની રાજકીય સફર પક્ષપલટાના કેટલાક રસપ્રદ વળાંકોથી ભરેલી રહી છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેવી ખૂબ જ મહત્વની અને જવાબદાર પોસ્ટ પર કાર્યરત હતા. પરંતુ, તે સમયે ટિકિટ અને સત્તાની લાલચમાં તેમણે અચાનક કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે તેમને વધાવી લીધા અને મહુધા વિધાનસભા બેઠક પરથી ટિકિટ પણ આપી, પરંતુ પક્ષપલટુ નેતાઓને જનતા બરાબર ઓળખે છે. મહુધાના મતદાતાઓએ તેમને જાકારો આપ્યો અને ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.ભાજપમાં ગયા પછી પણ નેતાજી માટે બધું સમુંસૂતરું નહોતું ચાલ્યું. સત્તાધારી પક્ષમાં હોવા છતાં, થોડા સમય પહેલા યોજાયેલી ખેડા જિલ્લાની જીવાદોરી સમાન ‘અમૂલ ડેરી’ની ચૂંટણીમાં તેમણે પક્ષના મેન્ડેટ સામે જ ખુલ્લો બળવો પોકાર્યો હતો. આખરે, ભાજપમાં સાઈડલાઈન થઈ જતા તેમણે ફરી એકવાર પક્ષ બદલવાનું જ મુનાસિબ માન્યું