Related Posts
ખેરાલુના ડાલીસણા ગામે હિંદુ સંમેલન સમિતિ દ્વારા એક વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ડાલીસણા, ડભાડ, મહિયલ અને સાકરી સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં સનાતની હિંદુઓ ઉપસ્થિત રહ્યા હતા.
જશુભાઈ ચૌધરીએ પણ સનાતન ધર્મ વિશે પ્રવચન આપી દેશની અખંડિતતા જાળવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં સિપોર મઠના દેવગીરી મહારાજ, થાંગણા આશ્રમના રવિન્દ્રપુરી મહારાજ, ભાજપ નેતા પરથીભાઈ ચૌધરી, નિવૃત્ત DySP એમ.ડી. ચૌધરી સહિત મોટી સંખ્યામાં RSS સ્વયંસેવકો, આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.