એજ્યુકેશન ફેકલ્ટીના ડીને શું કહ્યું?
આ મામલે એજ્યુકેશન ફેકલ્ટીના ડીન નિદત બારોટે કહ્યું હતું કે, હું માનું છું કે આ વખતે ભૂલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીધી નથી, પણ જે તે પ્રોફેસર દ્વારા આ પેપર કાઢ્યું છે. વ્યવસ્થા એવી છે કે આ પેપર કોઈએ વાંચવાનું ન હોઈ સીધું જ પરીક્ષામાં આવે છે. જે તે પ્રોફેસરે ચોકસાઈ રાખવાની હોય છે. આ અધ્યાપક સિનિયર છે અને ભૂલ કેમ થઈ છે તે જોવું પડી શકે છે. પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. પેપર કાઢનાર અધ્યાપકે પેપર કાઢવામાં મહેનત ન કરી હોઈ શકે. પેપર ફોડવાની ભાવના ન હોય પણ બીજી વખત મહેનત ન કરવી પડે એ માટે આવી રીતે એક જ પેપર કાઢ્યું હોઈ શકે છે. ભૂતકાળના સમયમાં આવું થયું છે, પરીક્ષા વિભાગની જવાબદારી સીધી નથી હોતી પણ જે પ્રોફેસરે આ કામ કર્યું છે. તે માટે તેની જવાબદારી નક્કી થાય છે, પ્રશ્નપત્ર આ પ્રકારે થવું ન જોઈએ. મને માહિતી મળી છે તે મુજબ જામનગરથી આ વાત વિદ્યાર્થીઓ મારફત સામે આવી છે. પરીક્ષા રદ કરવા સુધીના નિર્ણય લેવામાં આવ્યા છે.