ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દીવાળીના બીજા દિવસે ભક્તિભાવ અને પરંપરાનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રણછોડરાય મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે આસપાસના ગામોના ચોક્કસ વર્ગના લોકોને પરંપરાગત રીતે અન્નકૂટ લૂંટવા માટે મંદિર કમિટી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય મંડપમાં 151 મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં બુંદી, ભાત, મીઠાઈ, ફળો અને વિવિધ પ્રકારના મિષ્ટાનનો મહાપ્રસાદ તૈયાર કરાયો હતો.