ભારતીય ટીમ વન-ડે સિરીઝની પહેલી મેચ 7 વિકેટે હારી ગઈ છે. વરસાદથી પ્રભાવિત મેચ જીતવાની સાથે જ ઓસ્ટ્રેલિયાએ 3 મેચની સિરીઝમાં 1-0 ની લીડ લઈ લીધી છે. સિરીઝનો બીજો મુકાબલો 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાશે. ભારતીય ટીમ 3 કારણોસર હારી છે: પહેલું- રોહિત, કોહલી, ગિલ અને શ્રેયસની નિષ્ફળ બેટિંગ; બીજું- અટકી-અટકીને થયેલો વરસાદ; અને ત્રીજું- મિચેલ માર્શની કેપ્ટન્સ ઇનિંગ.
પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં ટૉસ ઑસ્ટ્રેલિયાના પક્ષમાં ગયો અને કેપ્ટન મિચેલ માર્શે બોલિંગ પસંદ કરી. કઠિન પરિસ્થિતિઓમાં ભારતીય ટીમની શરૂઆત નબળી રહી. ટીમે 10 ઓવરના પાવરપ્લે-1માં 27 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
રોહિત શર્મા 8, કેપ્ટન શુભમન ગિલ 10 રન બનાવીને આઉટ થયા. વિરાટ કોહલી તો ખાતું પણ ખોલી ન શક્યો. 45 રનના ટીમ સ્કોર પર શ્રેયસ અય્યર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આવામાં અક્ષર પટેલે 31 અને કે.એલ. રાહુલે 38 રનની ઇનિંગ રમીને ટીમને સ્કોર 136 રન સુધી પહોંચાડ્યો, પરંતુ તેને DLS મેથડથી 131 રનનો ટાર્ગેટ કરી દેવામાં આવ્યો.
રિવાઇઝ્ડ ટાર્ગેટને ચેઝ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે સરળતાથી ટાર્ગેટ ચેઝ કરી લીધો. કેપ્ટન મિચેલ માર્શે નોટ આઉટ 46 રનની ઇનિંગ રમી. તે ઓપન કરવા આવ્યો અને પોતાની ટીમને મેચ જિતાડીને પરત ફર્યો.
ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ