આજે સવારે બપોરે બે વાગ્યા સુધી નામાંકન માટેની પ્રક્રિયા હાથ ધરાશે. બપોરે 3.30થી 4 વાગ્યા સુધીમાં નામાંકનની ચકાસણી કરવામાં આવશે. સાંજે 5 થી 5:30 વાગ્યા સુધી નામાંકન પાછું ખેંચી શકાશે. ચોથી ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.
કોણ છે જગદીશ વિશ્વકર્મા?
જગદીશ વિશ્વકર્મા હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે. તેઓ OBC સમાજમાંથી આવે છે અને ભાજપ સંગઠનમાં એક દિગ્ગજ નેતા તરીકેની ગણના થાય છે. તેમણે અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો છે. રાજકારણની સાથે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ટરિંગનો છે. આર્થિક મોરચે, તેઓ અમદાવાદના સૌથી ધનીક ધારાસભ્યો પૈકીના એક છે. જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક સમન્વય છે. વર્તમાનમાં જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પોતાની સેવા આપી રહ્યાં છે. નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને તેવો ધારાસભ્ય બન્યાં છે. મંત્રીમંડળમાં તેઓ સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ સાથે નાગરિક ઉડ્ડયન વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યાં છે.