સુરતમાં એક પતિ પત્નીના લફરાને કારણે એક પરિવારનો માળો વિખેરાયો. પત્નીના કાંડને કારણે પતિએ બે સંતાનો સાથે મોત વ્હાલુ કર્યું. ત્યારે પતિએ પોતાની પાછળ 400 પાનાની સ્યૂસાઈડ નોટ છોડી છે. ચોપડામાં લખાયેલા એક એક શબ્દો ભલભલાને હચમચાવી દે તેવા છે. એક પત્નીએ પોતાના પતિને એટલો મજબૂર કરી દીધો કે તેણે પોતાના બંને દીકરા સાથે મોત વ્હાલુ કર્યું. 10 વર્ષ પહેલા અલ્પેશ સોલંકીએ પ્રેમ લગ્ન કર્યા હતા. વર્ષ 2014 માં પ્રેમલગ્ન કર્યા હતા, અને વર્ષ 2015 માં ધામધૂમતી લગ્ન કર્યા હતા. આ 10 વર્ષના લગ્નજીવનમાં તેમને 8 વર્ષનો દીકરો કૃષિવ અને 2 વર્ષનો દીકરો કરણીશ હતો. લગ્ન જીવન સુખેથી ચાલતું હતું. અલ્પેશભાઈ ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં પીટીના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે પત્ની ફાલ્ગુનીબેન જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતી હતી. પરંતુ અચાનક તેમના જીવનમાં આવેલી ત્રીજી વ્યક્તિએ આખો પરિવાર વિખેરી નાંખ્યો. અલ્પેશ સોલંકીએ ગુરુવારે બપોરે તેમના બંને સંતાનો સાથે સામુહિક આપઘાત કર્યો. આ ઘટનાની જાણ થતા જ તેમનો આખો પરિવાર ભાંગી પડ્યો હતો. તો પત્ની પણ વિલાપ કરતી જોવા મળી. અલ્પેશ સોલંકીએ આવું પગલુ કેમ ભર્યું તે જાણતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ.મરતા પહેલા અલ્પેશ સોલંકીએ 400 પાનાના ડાયરી લખી હતી. મોતનું પગલુ ભરતા પહેલા તેમણે 6 પાનાની સ્યૂસાઈડ નોટ લખી હતી. છેલ્લા ત્રણ મહિનામાં તેમણે પોતાના મનની પીડાના એક-એક શબ્દો ડાયરીમાં ઉતાર્યા હતા. જેને વાંચ્યા બાદ ભલભલાનું હૃદય રડી પડે.
400 પાના પર એક પતિ, એક પિતાનું દર્દ શબ્દોમાં ઉતરી આવ્યું હતું. એક એક શબ્દમાં લાચરી અને વિલાપ હતો. ત્રણ મહિનામાં તેઓએ તેમના ઘરમાં શું શું બન્યુ, કેવી પરિસ્થિતિ સર્જાઈ, દંપતી વચ્ચેના ઝગડા બધુ જ લખ્યું.
પરંતું સત્ય એ છે કે, અલ્પેશ સોલંકીના પત્નીને ઓફિસના એક કર્મચારી સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ અલ્પેશને થતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પત્નીએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને આવું નહિ થાય તેવી ખાતરી આપી હતી. પરંતું છતાં બંને વચ્ચે અણબનાવ રહેતા હતા.
અલ્પેશ સોલંકીને પહેલાથી જ ડાયરી લખવાનો શોખ હતો, તેથી તેઓ રોજબરોજની વાતોનો ડાયરીમાં ઉલ્લેખ કરતા હતા. તેઓ એટલી હદે હતાશ થઈ ગયા હતા કે, ત્રણ મહિનાથી કેવી રીતે દિવસો પસાર કરી રહ્યા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે પોતાની સ્યૂસાઈડ નોટ થકી પોતાના પરિવારજનોને વેદના જણાવવા માંગતા હતા. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુસાઇડ નોટમાં આ પણ લખ્યું છે કે ચાર વર્ષ પત્નીના પ્રેમપ્રકરણને થઈ ગયાં છે, કદાચ બે વર્ષનું બાળક પણ તેનું હશે એવી પણ શંકા તેને ઘર કરી ગઈ હતી. સ્યૂસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે જ્યારે પત્નીના પ્રેમસબંધ અંગે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ત્યારે તેમને પત્નીને કીધું કે આ બધું ભૂલીને આપણે સાથે પહેલાંની જેમ રહીએ. ત્યારે પત્નીએ તેમને કહ્યું હતું કે, શું બાયલાની જમ રડે છે. આ શબ્દો તેમને દિલ પર પથ્થરની જેમ લાગી આવ્યા હતા. ત્યારે આ વાતને તેઓ ક્યારેય ભૂલી શક્યા ન હતા.