ખેલૈયાઓ માટે ખુશ ખબર, આ જિલ્લાઓ સિવાય સમગ્ર ગુજરાતમાં આજે મેઘરાજા નહીં કરે હેરાન

By: nationgujarat
03 Oct, 2024

Weather forecast for Navratri 2024: નવરાત્રિ આજ (ત્રીજી ઓક્ટોબર)થી પ્રારંભ થઈ રહ્યો છે, ખેલૈયાઓને મનમુકી ગરબે ઘૂમવાની ઈચ્છા છે. પરંતુ ક્યાંકને ક્યાંક વરસાદ પડશે નેનો ડર પણ સતાવતો હશે. પરંતુ હવામાન વિભાગે ખેલૈયાઓની ચિંતા દૂર થાય તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડશે.. એમા પણ ખાસકરીને નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટોછવાયો અને હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. એટલે કે બાકીના જિલ્લાના લોકોને પહેલા નોરતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.  હવામાન વિભાગ અનુસાર,અમદાવાદમાં આજે સાંજે 6 થી 8 દરમિયાન હળવા ઝાપટાં પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે અમદાવાદમાં નવરાત્રિમાં બાકીના દિવસો દરમિયાન વરસાદની કોઇ જ સંભાવના નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ,ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.ત્રીજી ઓક્ટોમ્બરથી સાતમી ઓક્ટોમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં પાંચમી ઓક્ટોબરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. પાંચથી 22મી ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.


Related Posts

Load more