પક્ષમાં ચાલી રહેલી આ ઉથલપાથલ અને ‘ઓપરેશન ટાઇગર’ પર શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, ભાજપ અને તેના સાથી પક્ષોને માત્ર રાજકીય તોડફોડ કરવામાં જ રસ છે. સરકારે પક્ષો તોડવાને બદલે દેશના શાસન પર ધ્યાન આપવું જોઈએ. હાલમાં દેશની વિદેશ નીતિ, પાણીની અછત, આંતરિક સુરક્ષા અને મોંઘવારી જેવી ગંભીર સમસ્યાઓથી જનતા ત્રસ્ત છે. તેમણે ઉમેર્યું કે આ સરકારને કામ કરતા નથી આવડતું અને તેમને ખેડૂતો કે મહિલાઓના અવાજ સંભળાતા નથી.