સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર મુસાફરો ભરેલી બસ ખાડામાં ખાબકી, 20થી વધુને ઇજા

By: nationgujarat
13 Aug, 2024

Bus Accident : રાજ્યમાં સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે. ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે સજાર્યો છે. જેમાં 30 મુસાફરોને ભરીને જઇ રહેલી સરકારી બસ ખાડામાં ખાબકતાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. અકસ્માતની જાણ થતાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર-રાજકોટ હાવે પર સરકારી બસ અકસ્માતનો ભોગ બની હતી. જેમાં બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી નીચે ઉતરી જઇ ખાડામાં ખાબકી હતી. જેના લીધે 20 વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી, જ્યારે સદનસીબે કોઇ જાનહાનિ થઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તથા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

આ ઘટનામાં ઇજા પામેલા 20થી વધુ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી પોલીસ બે કલાકની ભારે મહેનત બાદ ટ્રાફિકને દૂર કરી રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.


Related Posts

Load more