ખેડૂતોની ચિંતામાં વધારો
ભર ઉનાળે થયેલા આ વરસાદથી સામાન્ય લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ખેતરોમાં ઉભેલા મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અમદાવાદ સહિતના શહેરોમાં ‘યલો એલર્ટ’
વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યના મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ શહેરમાં આગામી 6 દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 41°C સુધી પહોંચવાની શક્યતા છે. ગાંધીનગર અને રાજકોટમાં પણ ગરમીનો પારો 40°C ને પાર કરી શકે છે. સુરત અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 31°C થી 34°C વચ્ચે રહેતા ગરમીનું જોર ઓછું રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉકળાટ અને બફારો હજુ પણ યથાવત રહી શકે છે.